સોનલ માઁના 51 ઉપદેશ ચારણ સમાજ માટે દિશા દર્શક અને પથદર્શક: PM Modi
રામ જ્યોતિ પ્રજ્વલ્લિત કરવાનું આહ્વાન કર્યું છે. મંદિરો માટે સ્વચ્છતાનું અભિયયાન શરૂ કર્યું છે. આ પ્રયાસોથી સોનલ માઁની ખુશી અનેકગણી વધી જશે. સોનલમ માઁની પ્રેરણા નવી ઉર્જા પ્રદાન કરે છે. દેશની પ્રગતિમાં ચારણ સમાજની મોટી ભૂમિકા છે. સોનલ માઁના 51 ઉપદેશ ચારણ સમાજ માટે દિશા દર્શક અને પથદર્શક છે. ચારણ સમાજે આને યાદ રાખવા જોઇએ અને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ નિરંતર ચાલુ રાખવું જોઇએ. સામિજક સમરસતાને મજબૂત કરવા માટે મઢડા ધામ સતત પ્રયત્નશીલ રહ્યું છે. હું આ પ્રયત્નોની સરાહના કરું છું. મને વિશ્વાસ છે કે, આગળ પણ મઢડા ધામ રાષ્ટ્ર નિર્માણ જેવા અગણિત પ્રયાસોને ગતિ આપતું રહેશે.