સુરત: ચંદી પાડવોની ઉજવણી, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક
સુરતમાં આ રવિવારે ચંદી પાડવોની ઉજવણી થશે... આ દિવસે સુરતીલાલાઓ કરોડો રૂપિયાની ઘારી અને ભુસું આરોગશે... તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે... વિભાગે શહેરના તમામ ઝોનમાં માવાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા... સાથે જ આરોગ્ય વિભાગ માવા અને ઘારીમાં ભેળસેળ છે કે, નહીં તેની તપાસ કરવા વિવિધ નમૂના લીધા હતા.... જો કોઈને નમૂના ફેલ થશે તો જેતે વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે... આપને જણાવી દઈએ કે, આ પેહલા આરોગ્ય વિભાગે જે પણ ઘી--તેલ અને માવાના સેમ્પલ લીધા હતા. શહેરના સીમાડા નાકા આવેલ ઘીના નમૂના ફેલ થઇ ગયા હતા... તો આ મામલે ઘીનું ગોડાઉન સિલ કરવામાં આવ્યું હતું.