સુરત: આરોગ્ય વિભાગે રોગોમાં થતો વધારો અટકાવાની કરી કામગીરી
સુરત SMCના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગોમાં થતાં વધારા અટકાયતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદ ઝાડા ઉલ્ટીના કેસો જણાય તે તમામ વિસ્તારોમાં સર્વેલન્સ, ઓ.પી.ડી., રેફરલ, ફોલોઅપ તેમજ પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનાઓમાં કુલ 3 લાખ 38 હજાર 689 ઘરો સર્વે કરવામાં આવ્યો હતો. તથા 8 લાખ 51 હજાર 600 મચ્છરોનાં ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવી હતી. તે પૈકી 6514 મચ્છરોના બ્રિડીંગ મળી આવેલ જેનો નાશ કરવામાં આવ્યો હતા. તેમજ હાલ પણ SMCઆરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ ફોલોઅપ પણ લેવામાં આવે છે. ત્યારે છેલ્લા ચાર મહિનામાં અત્યાર સુધી ઝાડા-ઉલ્ટી મલેરિયાના કારણે 17 બાળકો સહીત 35 લોકોના મોત થઇ ચુક્યા છે.