સોનલ માઁના મુખેથી સાંભળેલી રામાયણ ક્યારેય ન ભૂલી શકાય: PM Modi
વિશાળ ચારણ સાહિત્ય આજે પણ આ મહાન પરંપરાનું પ્રમાણ છે. દેશભક્તિના ગીત હોય કે આધ્યાત્મિક ઉપદેશ હોય ચારણ સાહિત્યએ સદીઓથી આમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શ્રી સોનલ માઁની ઓજસ્વી વાણી તેનું મોટું ઉદાહરણ રહી છે. તેમને પારંપારિક પધ્ધતિથી શિક્ષણ નથી મળ્યું પરંતુ સંસ્કૃત ભાષા પર તેમની અદભૂત પકડ હતી. શાસ્ત્રોનું તેમને ઊંડાણપૂર્વકનું જ્ઞાન હતું. તેમના મુખેથી જેણે પણ રામાયણ સાંભળી તે ક્યારેય ભૂલી નથી શક્યા. આપણે ફકત કલ્પના કરી શકીએ છીએ. 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજશે ત્યારે સોનલ માઁ કેટલા પ્રસન્ન થશે.