સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ કરી લાલ આંખ
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.... અહીં ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતીના ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.... વઢવાણ જોડિયા શહેરની મધ્યમાંથી પસાર થતી આ નદીમાં ખૂલ્લેઆમ ખનીજચોરી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી.... તેને ધ્યાનમાં રાખી વિભાગે દરોડા પાડતાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.... વિભાગે અહીંથી એક્સેવેટર મશીન તેમ જ ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.... આ દરોડા બાદ ગેરકાયદેસર ખનન કરતા શખસોમાં ફફડાટ ફેલાયો છે.